Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે 31 જુલાઈના રોજ ' ફ્રી હેલ્થ ફેર ' નું આયોજન : 6 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યાથી 7 - વાગ્યા દરમિયાન પરમ પૂજ્ય 108 શ્રી હરિરાયજી મહોદયશ્રી દ્વારા વચનામૃતનો લહાવો

મેરીલેન્ડ : અમેરિકામાં મંગલ મંદિર 17110 , ન્યુ હેમ્પશાયર એવન્યુ અષ્ટોન મેરીલેન્ડ મુકામે આગામી 31 જુલાઈના રોજ ' ફ્રી  હેલ્થ  ફેર ' નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક અંગોના નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ મેળવી શકાશે. કેમ્પનો સમય સવારે 8 -30 થી બપોર સુધીનો રાખવામાં આવ્યો છે.જે માટે https://healthfair.webs.com દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

વિશેષ માહિતી ડો.કિરણ પરીખ 443 -562 -1562 ,શ્રી મયુર મોદી 240 -330 -9421 ,ડો.સુરેશ પટેલ 301 -775 -3818 , સુશ્રી સોનલ પટેલ 301 -802 -7913 અથવા શ્રી કલ્પેશ પટેલના  કોન્ટેક નંબર 301 -802 -3203 દ્વારા મેળવી શકાશે

બાદમાં 6 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યાથી 7 - વાગ્યા દરમિયાન પરમ પૂજ્ય શ્રી 108 શ્રી હરિરાયજી મહોદયશ્રી દ્વારા વચનામૃતનું આયોજન કરાયું છે.

શ્રી હરિરાયજી મહોદયશ્રી શ્રીમદ વલ્લભાચાર્યજીના 18 માં વંશજ છે.તથા સપ્તમ પીઠાધીશ્વર પુજયપાદશ્રી 1008 ઘનશ્યામલાલજી મહારાજશ્રીના પૌત્ર છે.અને પરમ પૂજ્યશ્રી 108 ગોપાલલાલજી મહોદયશ્રીના પુત્ર છે.

વચનામૃતનો વિષય પવિત્રતાનું રહસ્ય અને મહત્વ વિષે ચર્ચા કરવાનો છે.

આ અંગે વિશેષ માહિતી શ્રી સેજલ શાહ વિરમાની (301) 233 -5001 ,શ્રી મંગલ મંદિર (301) 421 - 0985 અથવા shrimangalmandir@gmail.com દ્વારા મેળવી શકાશે.

મંદિર સવારે 8 -00 વાગ્યાથી બપોરે 12 -00 વાગ્યા સુધી તથા સાંજે 4 -00 વાગ્યાથી રાત્રીના 8 -00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.આરતીનો સમય સવારે 11 -45 તથા સાંજે 7 -00 વાગ્યાનો છે.

મંદિરનો કોન્ટેક નંબર 301 -421 -0985 છે.જેની વેબસાઈટ  www.mangalmandir.org છે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:38 pm IST)