Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જયપુરથી અમેરિકા પરત ફરેલા બે બાળકો કોરોના સંક્રમિત

ઘોર બેદરકારી : ૧૫ દિવસ પહેલા અમેરિકાથી ફરવા આવ્યો હતો પરિવાર તપાસ દરમ્યાન જાણ થઇ

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ફરી પગ પેસારો કરી રહ્યા છે. ત્યાં જ બેદરકારી પણ વધારે જોવા મળી રહી છે. જેમાં જયપુરમાં બે બાળકો સંક્રમિત મળ્યા બાદ અમેરિકાથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ૧૫ દિવસ પહેલા અમેરિકાથી માતા-પિતા સાથે બે બાળકો પરત આવ્યા હતા. અહીં આવ્યા બાદ પરિવાર જમ્મુ-કાશ્મીર સ્થિત વૈષ્ણવદેવી માતા મંદિરે ગયા હતા. ત્યાર બાદ ફરીને  બિકાનેરથી જયપુર પરત ફર્યા હતા. દિલ્હીથી અમેરિકાની તેમની ફ્લાઈટ હતી. એટલા માટે તેમણે ખાનગી લેબ.માં કોરોના ટેસ્ટ કરાવ્યો. આ રિપોર્ટ સાંજ સુધીમાં મળી ગયો હતો. જેમાં બે બાળકો સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. ત્યાર બાદ તેઓ ડોકટર પાસે ગયા. દિલ્હી એરપોર્ટ પર પણ તેમને રોકવામાં આવ્યા નહીં. એટલું જ નહીં તપાસ દરમ્યાન મોબાઈલ નંબર પણ સંબંધિના આપ્યા હતા.

(2:48 pm IST)