News of Monday, 31st May 2021
નવી દિલ્હી, તા.૩૧: પીએમ મોદી માટે નવું આવાસ બનાવવાનું કામ ઓગષ્ટ મહિનાથી શરુ થઈ જાય તેવી શકયતા છે. આમ તો આ પ્રોજેકટ વહેલો શરુ થવાનો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેમાં મોડું થયું છે. તેના માસ્ટર પ્લાન અનુસાર, નવું પીએમ આવાસ ૧૫ એકરમાં ફેલાયેલું હશે, અને તેમાં ૧૦ લો રાઈઝ બિલ્ડિંગ હશે. કોઈપણ બિલ્ડિંગમાં બેથી વધુ માળ નહીં હોય. ઘ્ભ્ષ્ઝ્રના દરખાસ્ત અનુસાર, પ્રાઈમ મિનિસ્ટર્સ રેસિડેન્સ (PMR)માં કોઈ ભોયરું પણ નહીં હોય.
સૂત્રોનું માનીએ તો નવા PMRમાં પીએમના નિવાસની સાથે તેમની ઓફિસ પણ હશે. આમ, હવે પીએમઓ અને PMR સાઉથ બ્લોકમાં એકબીજાથી નજીક આવી જશે. પ્લાન અનુસાર, PMRમાં ૧૧૨ વાહનો પાર્ક થઈ શકશે, અને ૧૦૦૦ કર્મચારીઓ કામ કરી શકે તેવી સવલત હશે. તેમાં રોજના ૫૦૦ લોકોની અવરજવર રહેશે. પીએમની સુરક્ષા માટે એસપીજી બિલ્ડિંગ પણ આ જ કોમ્પ્લેકસમાં અઢી એકરના પ્લોટમાં બનાવાશે.
CPWDએ PMR બનાવવામાં કેટલો ખર્ચ થશે તેની કોઈ વિગતો જાહેર નથી કરી. જોકે, સેન્ટ્રલ વિસ્ટાના રિડેવલપમેન્ટનો કુલ પ્રોજેકટ ૧૩,૪૦૦ કરોડ રુપિયાનો થાય છે. જેમાં પાર્લામેન્ટ અને રાજપથના રિડેવલપમેન્ટનો સમાવેશ નથી થતો. CPWDએ આ વર્ષે જાન્યુઆરીમાં જે દરખાસ્ત મૂકી હતી તે અનુસાર પીએમના નવા ઘરનું બાંધકામ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૂરું થઈ જવાનું હતું. જોકે, કોરોનાને કારણે તેમાં મોડું થયું છે.
એક સૂત્રના જણાવ્યા અનુસાર, એપ્રિલ-મે સુધીમાં આફ્રિકા એવન્યૂ અને કેજી માર્ગ પર બે નવી બિલ્ડિંગ બનાવીને તેમાં ઓફિસ શિફ્ટ કર્યા બાદ PMRનું બાંધકામ શરુ કરવાનું હતું. જોકે, તેમાં મોડું થયું છે. હવે ઓફિસ શિફ્ટ કરવાનું કામ ઓગષ્ટ મહિનામાં શરુ થઈ જશે, અને તે દરમિયાન જ PMR અને SPG બિલ્ડિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.
નવું PMR સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનો એક ભાગ છે, જે હાલ સેન્ટ્રલ દિલ્હીમાં આકાર લઈ રહ્યો છે. જેમાં IGNCA પ્લોટ પર બનનારી ત્રણ ઓફિસનું ટેન્ડર બહાર પડી પણ ગયું છે. આ બિલ્ડિંગ્સ સેન્ટ્રલ એસી, આઈટી બેઝડ બિલ્ડિંગ મેનેજમેન્ટ તેમજ બેઝમેન્ટ પાર્કિંગ સિસ્ટમ ઉપરાંત કેમ્પસમાં જ ટોટલ મેનેજમેન્ટ ઓફ સોલિડ એન્ડ લિકિવડ વેસ્ટને મેનેજ કરી શકાશે. દરેક બિલ્ડિંગમાં ૪૦-૪૫ લોકો બેસી શકે તેવા વિશાળ કોન્ફરન્સ રુમ ઉપરાંત લાઈબ્રેરી, ફાર્મસી, દ્યોડિયાદ્યર અને મ્યૂઝીક રુમ ઉપરાંત જિમ તેમજ યોગા સેન્ટર પણ હશે.
સમગ્ર પ્લાન અનુસાર, PMR, VP એન્કલેવ અને મેગા કોન્ફરન્સ રુમના બાંધકામમાં હાલ આ જગ્યાએ રહેલા ૪,૬૪૨ ઝાડની સંખ્યા ઘટીને ૩,૧૬૫ રહી જશે. જોકે, CPWD તેના બદલામાં શહેરના અન્ય વિસ્તારોમાં ૩૦,૩૪૭ વૃક્ષો વાવશે.