-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Thursday, 21st July 2022
' કૃષ્ણાશ્રય ' : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે પુષ્ટિમાર્ગીય પ્રવચનો તથા હિંડોળા મનોરથોનું આયોજન : 4 ઓગસ્ટ ગુરુવારથી 7 ઓગસ્ટ રવિવાર સુધી ' કૃષ્ણાશ્રય ' વિષે પૂજ્ય શ્રી કેવલાલાનંદ સ્વામીના પ્રવચનો : સાંજે 6 -00 વાગ્યાથી 7-30 વાગ્યા સુધી યોજાનારા પ્રવચનો બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા
દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કૃપાથી ભકતિનીધિ ઇન્ક.સંચાલિત શ્રી દ્વારકાધીશ મંદિર ,717, વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સીમાં પુષ્ટિમાર્ગીય પ્રવચનો તથા હિંડોળા મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવોને સપરિવાર મિત્રમંડળ સહીત આ કાર્યક્રમનો લાભ લેવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.
મંદિરમાં 4 ઓગસ્ટ ગુરુવારથી 7 ઓગસ્ટ રવિવાર સુધી ' કૃષ્ણાશ્રય ' વિષે પૂજ્ય શ્રી કેવલાલાનંદ સ્વામીના પ્રવચનો યોજાશે .સાંજે 6 -00 વાગ્યાથી 7-30 વાગ્યા સુધી યોજાનારા પ્રવચનો બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
મનોરથી થવા તથા વધુ માહિતી માટે મંદિરના કાર્યાલય @ 732-254-0061 નો સંપર્ક કરવો.મંદિરની વેબસાઈટ www.dwarkadhishtemple.org છે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.
(11:57 am IST)