Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

વાણીયાવાડીમાં મોહીત મકવાણાને છૂટાછેડા લઇ લેવા બાબતે પત્‍નીના પ્રેમીએ ધમકી દીધી

ભકિતનગર પોલીસ મથકમાં જયદીપ પરમાર સામે ફરીયાદ

રાજકોટ તા. ૧ :.. સહકાર સોસાયટીમાં રહેતા યુવાનને બોલબાલા માર્ગ પર વાણીયાવાડીમાં એડવોકેટની ઓફીસમાં છૂટાછેડા લઇ લેવા બાબતે પત્‍નીના પ્રેમીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સહકાર સોસાયટી શેરી નં. ૩ માં રહેતા અને ટુલ્‍સ મશીનનું માર્કેટીંગનું કામ કરતા મોહીત કિરીટસિંહ મકવાણા (ઉ.વ.ર૮) એ ભકિતનગર પોલીસ મથકમાં માટેલ સોસાયટી શેરી નં. ૬ માં રહેતા જયદીપ ભરતભાઇ પરમાર સામે ફરીયાદ નોંધાવી છે. મોહીત મકવાણાએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. ગત તા. ર૩ ના રોજ પોતે પત્‍નીએ કરેલ ભરણ પોષણ બાબતનો  તેમની ડોમેસ્‍ટીક બાબતનો કોર્ટમાં કેસ ચાલુ હોઇ જે બાબતે પોતાના એડવોકેટ બકુલભાઇ રાજાણીની ઓફીસ જે વાણીયાવાડી-૪ મા આવેલ છે. ત્‍યાં ચાલીને જતો હતો ત્‍યારે ત્‍યા એક વ્‍યકિત ઓફીસની સામે ઉભો ઉભો શુટીંગ કરતો હતો. જે દુરથી જોતા પોતે ત્‍યાંજ ઉભો રહી ગયેલ બાદમાં તે શુટીંગ કરી ત્‍યાંથી નીકળતી વખતે પોતાને ત્‍યાં રોડ પર ભેગો થયેલ અને તે માટેલ સોસાયટીમાં રહેતો જયદીપ ભરતભાઇ પરમાર હોઇ, તેને પોતાની પત્‍ની સાથે પ્રેમ સંબંધ હોઇ, જેથી તેણે પોતાને કહેલ કે ‘તુ મારી પત્‍ની સાથે છુટાછેડા લઇ લે નહીતર તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપતા પોતાને બીક લાગતા ત્‍યાંથી નીકળી ગયો હતો અને ઘરે આવી ગયો હતો. બાદ બીજા દીવસે પોતે પોતાના એડવોકેટની ઓફીસે ગયેલ ત્‍યાં જતા એડવોકેટ હાજર હોઇ જેથી પોતે તેને ‘જયદીપ પરમારે મને મારી નાખવાથી ધમકી' આપી હોવાની વાત કરી હતી. બાદ ગઇકાલે પોતે ભકિતનગર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પી.એસ. આઇ. એચ. એન. રાયજાદાએ તપાસ હાથ ધરી છે.

(5:29 pm IST)