Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

ગંજીવાડામાં અલ્તાફભાઇ નાઘોરીના મકાનમાં ર૬ હજારની ચોરી

પરિવારજનો ઉના ફરવા ગયાને તસ્કરો હાથફેરો કરી ગયા

રાજકોટ તા.૧ : ગંજીવાડામાં રહેતા ટ્રક ચાલકના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ. ર૬,ર૦૦ ની મત્તા ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.૮/૧૦ ના ખુણે રહેતા અલ્તાફભાઇ રશીદભાઇ નાઘોરી (ઉ.૩પ) ઍ થોરાળા પોલીસ મથકમાં નોîધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ડ્રઇવીંગ કરે છે. પાંચ દિવસ પહેલા પોતે પરિવાર સાથે ઘરને તાળુમારી ઉના ફરવા માટે ગયા હતા. બાદ ગઇકાલે પરત આવ્યા ત્યારે ઘરની ડેલીનું તાળુ ખોલી અંદર જતા મુખ્ય દરવાજાનું તાળુ તુટેલ જાવા મળતા પોતે રૂમમાં જતા કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવીખેર જાવા મળ્યો હતો. બાદ પોતે તપાસ કરતા પોતે કબાટમાં બચતના રાખેલા રૂ.ર૦,૦૦૦ રોકડા પ હજારની કિંમતના સોનાની બુટી અને રૂ.૧ર૦૦ ની ચાંદીની જાંજરી જાવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ પોતે થોરાળા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અલ્તાફભાઇની ફરીયાદ દાખલ કરી ઍ.ઍસ.આઇ. પી. ઍન. ત્રિવેદીઍ તપાસ હાથ ધરી છે.

 

(4:03 pm IST)