Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

જયોતિર્વિદ મંડળના મહામંત્રી પદે ૪૭મી વખત લલિતભાઇ ભટ્ટ

રાજકોટ : શ્રી જયોતિર્વિદ મંડળના મહામંત્રી તરીકે સતત ૪૭ મી વખત શાસ્ત્રી શ્રી લલિતકુમાર લાભશંકર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા છે. તેઓ શાસ્ત્રોકત અને જયોતિષને લગતી બાબતોના ઉંડા અભ્યાસુ છે. સમાજ ઉપયોગી શાસ્ત્રોકત બાબતો તેઓ અવાર-નવાર જનહિતાર્થે પ્રસ્તુત કરે છે વધુ એક વખત મહામંત્રી તરીકે વરણી થતા લલિતભાઇ ભટ્ટ પર અભિનંદન વર્ષા (મો.૮૧૪૧પ ર૮૦પ૦) થઇ રહી છે.

(4:07 pm IST)