Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજારામ મોહનરાય શાળા નં.૯૪ના સ્‍થાપના દિવસની ઉજવણી : ભટ્ટ પરિવાર દ્વારા ભુલકાઓને ભોજન

રાજકોટ : કાલાવડ રોડના વિમલનગર મેઇન રોડ ઉપર આવેલ રાજારામ મોહન રાય પ્રાથમિક શાળા નંબર ૯૪ ખાતે  શાળાના સ્‍થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. આ તકે કચ્‍છના અંજાર નિવાસી સ્‍વ. ભાઈલાલભાઈ લક્ષ્મીદાસ ભટ્ટ  તથા સ્‍વ. સુશીલાબેન ભાઈલાલભાઈ ભટ્ટ ની સ્‍મૃતિ તેના સુપુત્રી ગીતા તુષાર ભટ્ટ તથા જમાઇ તુષાર ભટ્ટ અને દોહત્રી હેતસ્‍વી ભટ્ટ પરિવાર તરફથી વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્‍યું હતું તેમજ સ્‍ટાફને શ્રાવણના સોમવાર નિમિત્તે ફલાહાર અર્પણ કરાયું હતું.આ તકે શિક્ષણ સમિતિ ના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસ ચેરમેન સંગીતાબેન છાંયા શાળા ના આચાર્ય મધુબેન વિરડીયા ઉપસ્‍થિત રહ્યા હતા. સફળ બનાવવા આચાર્ય મધુબેન વિરડીયાની આગેવાનીમા સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:32 pm IST)