Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ભગવતીપરામાં પ્રજ્ઞાબેન રાઠોડે આર્થિક ભીંસને લીધે ફાંસો ખાધો

પતિ જોઇ જતાં જીવ બચાવી લીધોઃ સારવારમાં

રાજકોટ તા. ૪: ભગવતીપરા રાધેક્રિષ્‍ના પાસે રહેતાં પ્રજ્ઞાબેન રાજેશભાઇ રાઠોડ (ઉ.૨૭)એ સાંજે ઘરમાં ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ પતિ રાજેશભાઇ આવી જતાં નીચે ઉતારી લઇ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

પ્રજ્ઞાબેનના પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર છે. સંતાનોની ચિંતા અને આર્થિક મુંજવણને કારણે આ પગલુ ભર્યાનું રાજેશભાઇએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રતનપરમાં અર્જુને પોતાના માથામાં જાતે પાણકો માર્યો

ગોંડલ ચોકડી પાસે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતો અર્જુન રાજુભાઇ કુવાડીયા (ઉ.૩૬) રાતે નવેક વાગ્‍યે રતનપર રામ મંદિર પાસે હતો ત્‍યારે અજાણ્‍યા સાથે બોલાચાલી બાદ પોતાની જાતે માથામાં પથ્‍થર મારી ઇજા પહોંચાડતાં સિવિલમાં ખસેડાતાં કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસ નિવેદન નોંધે એ પહેલા ભાગી ગયો હતો.

(4:14 pm IST)