Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કાલે જામશે સરગમી લોકડાયરાની રંગતઃ જાહેર આમંત્રણ

સી.આર.પાટીલ, વજુભાઈ વાળા, જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ : માયાભાઈ આહીર, અભેસિંહ રાઠોડ, ફરીદાબેન મીર અને બિહારીભાઈ ગઢવી લોકકલા પીરસશે

રાજકોટઃ નવરાત્રી મહોત્‍સવ પૂરો થાય એટ્‍લે જાહેર જનતા માટે વિનામુલ્‍યે જુદા જુદા મનોરંજક કાર્યક્રમો યોજવાની પરંપરા સરગમ કલબે જાળવી રાખી છે તા.૮ને શનિવાર રાત્રે ૮ કલાકે ડી.એચ. કોલેજ ગ્રાઉન્‍ડ માં સરગમી લોકડાયરો યોજાશે.

જે.પી. સ્‍ટ્રકચર અને બાન લેબના સહયોગથી યોજાનારા ડાયરામાં માયાભાઇ આહીર, અભેસિંહ રાઠોડ, ફરિદાબેન મિર અને બિહારીભાઇ ગઢવી લોકકલા પીરસશે. આ કલાકારોને બેંજો વાદક મુકુંદભાઈ જાનીનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

 કાર્યક્રમમાં પ્રમુખસ્‍થાને પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ઉદઘાટક તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ અને મુખ્‍ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જયારે અતિથિવિશેષ પદે રાજયના મંત્રીઓ કિરીટસિંહ રાણા અને અરવિંદભાઇ રૈયાણી તથા સાંસદ રામભાઇ મોકરિયા ઉપસ્‍થિત રહેશે.

 મુખ્‍ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, કલેકટર અરૂણ મહેશ બાબુ, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠિયા, ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્‍યુ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડા, ઉદ્યોગપતિ કિરીટભાઇ આદરોજા, બિલ્‍ડર ભાવેશભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવિયા,રાજનભાઈ વડાલિયા, નાથાભાઈ કાલરિયા, રમણભાઈ વરમોરા, સીઝન્‍સ હોટેલના વેજાભાઈ રાવલિયા, ગિરધરભાઈ દોંગા, એન.જે. સોલંકી, કેતનભાઈ પટેલ સહિતના ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં સમયસર રાત્રે ૮ કલાકે ઉપસ્‍થિત રહેવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, શિલ્‍પા લાઈફ સ્‍ટાઈલના પ્રભુદાસભાઇ પારેખ, જે.પી. સ્‍ટ્રકચરના જગદીશભાઇ ડોબરિયા અને બાન લેબના નટુભાઇ ઉકાણીએ અનુરોધ કર્યો છે.

(3:26 pm IST)