Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સુપ્રસિદ્ધ ત્રંબા વડાળી શ્રી વિહોત માતાજીના મંદિરે આઠમે હવન

રાજકોટ : શહેરની ભાગોળે ભાવનગર હાઈવે ઉપર ત્રંબા વડાળી ગામે આવેલ જગવિખ્યાત એવા શ્રી વિહોત માતાજીના મંદિરે આગામી તા.૧૪ના ગુરૂવારે આઠમના નોરતે સવારે ૮ વાગ્યાથી હવન રાખવામાં આવેલ છે.

નીજ મંદિરના પૂજારી શ્રી કાન્તીભાઈના જણાવ્યા મુજબ શ્રી વિહોત માતાજી એ શ્રી ચામુંડા માતાજીનું સ્વરૂપ છે. માતાજીએ અહિંના ડુંગર ઉપર આવીને વિશ્રામ કર્યો હતો. વર્ષો પુરાણા આ નીજ મંદિરે દરેક જ્ઞાતિના ભાઈ - બહેનો દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને નવરાત્રી પર્વે તો ભાવિકોની ભીડ જામતી હોય છે. નવરાત્રી પર્વે ખાસ માતાજીની આરાધના કરવામાં આવે છે. દર વર્ષે હવનનું આયોજન કરવામાં આવે છે. ભાવિકોએ દર્શન, પૂજનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. (શ્રી કાન્તીભાઈ પૂજારી - મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮)

(3:47 pm IST)