Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

માનવના ભવમાં પ્રકૃતિના પરિવર્તનથી સુખ, શાંતિ, સમાધિ મળી શકશેઃ પૂ.ધીરગુરુદેવ

લીલાવતી નેચરોપથી સેન્‍ટરમાં પ્રવચનઃ આજે લાલપુરમાં આગમન

રાજકોટ, તા.૧૪: શ્રી ઓસવાલ એજયુકેશન ટ્રસ્‍ટ સંચાલિત લીલાવતી નેચર કયોર રિસર્ચ સેન્‍ટરના ઉપક્રમે જૈન મુનિ પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.નું પ્રવચન યોજાયેલ.

આ પ્રસંગે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે મુશ્‍કેલી સંજોગોમાંથી નહિ પરંતુ ખોટી સમજણમાંથી જ ઉભી થાય છે. મનની સમસ્‍યાનું સમાધાન જ્ઞાનથી થાય છે. પ્રકૃતિના પરિવર્તનથી પ્રસન્‍નતા પ્રાપ્‍ત થયા વિના રહેશે નહિ. જાણીતા દાનવીર આર.કે.શાહનું વિજયભાઇ શેઠ, કે.ડી.કરમૂર વગેરે તેમજ કાટકોલના સરપંચ શિલ્‍પા કે.કરમુરનું આર.કે.શાહે સન્‍માન કરેલ. જયારે જૈન ભોજનાલયના રમેશભાઇ શાહ વગેરેની સેવાને બિરદાવવામાં આવેલ. પૂ.શ્રી ધીરગુરૂદેવ આજે તા.૧૪ને મંગળવારે સવારે ૮ કલાકે લાલપુર પધાર્યા બાદ ૯:૩૦ કલાકે વ્‍યાખ્‍યાન અને સંઘ જમણ યોજાયેલ. જશાપરના ઇતિહાસમાં પ્રથમવાર તા.૨૬ના ચાતુર્માસ પ્રવેશોત્‍સવ પ્રસંગે પધારવા કે.ડી.કરમુર, નારણ ગાગલીયા, ભીખુ કરમુરએ અનુરોધ કરેલ.

(5:13 pm IST)