Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

માણક અલંકરણ સન્‍માન સમારોહ

આચાર્ય ડો. લોકેશજીની અધ્‍યક્ષતામાં માણક અલંકરણ સમારોહ તાજેતરમાં યોજાયો હતો. રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે આ તકે અહિંસા, સત્‍યના સિધ્‍ધાંતોને વાગોળી આવા સિધ્‍ધાંતો માટે કાર્ય કરતા આચાર્ય લોકેશજીને વંદન કર્યા હતા. દૈનિક જલતે દીપના મુખ્‍ય સંપાદક પદમ મહેતાજીએ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ પ્રસંગે રિકોના સ્‍વતંત્ર નિર્દેશક સુનિલ પરિહાર, જોધપુરના ધારાસભ્‍ય મનીષા પવારજી, સંપાદકો દીપક મહેતાજી, આશિષ મહેતાજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલ.

(4:09 pm IST)