Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

માધવ શરાફી સહકારી મંડળીના બાકીદાર સભાસદને લોન ચુકવણી પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સજા

૧ લાખ ર૦ હજારનું વળતર ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ તા. ર૯: રાજકોટની જાણીતી મંડળી શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ના બાકીદાર વાસવીબેન રણજીતભાઇ સોલંકીએ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેમની સામે શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. એ અત્રેની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ. જે કેસ ચાલી જતા અત્રેના જજશ્રી એ મંડળીના બાકીદાર એવા વાસવીબેન રણજીતભાઇ સોલંકીને ૬ માસની સાદી કેદની સજા તથા રૂ. ૧,ર૦,૦૦૦/-નું વળતર ફરીયાદી મંડળીને ૩ (ત્રણ) માસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ અને જો વળતર ના ચુકવે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કીસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, વાસવીબેન રણજીતભાઇ સોલંકી રહે. ૪-ભીલવાસ, ભારત બેકરી પાછળ, સદર બજાર, રાજકોટવાળાએ રાજકોટની શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ના સભાસદ દરજજે લોન લીધેલ. સદરહું લોનની બાકી રકમ ચુકવવા વાસવીબેન રણજીતભાઇ સોલંકીએ રાજકોટની શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ને રૂ. ૧,ર૦,૦૦૦/-નો ચેક આપેલ. જે ચેક વગર વસુલાતે પરત ફરતા મંડળીએ તેમના એડવોકેટ મારફતે વાસવીબેન રણજીતભાઇ સોલંકી વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. ત્યારબાદ સદરહું કેસ રાજકોટના ચીફ જયુ. મેજી. શ્રી આર. બી. ગઢવીની કોર્ટમાં ચાલતા આ કામના ફરીયાદી મંડળી વતી એડવોકેટ કિશન એમ. પટેલ એ દલીલ કરેલ તેમજ દલીલના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ પર આધાર રાખેલ તથા આરોપીએ ફરીયાદી મંડળીમાંથી લોન લીધેલ હોવાની હકીકત તથા કાયદેસરના લેણાની જવાબદારી પેટે આરોપીએ ચેક આપેલ હોવાની હકીકત સાબીત થતી હોય આરોપીને સજા તથા ફરીયાદી મંડળીને વળતર ચુકવવાની રજુઆત કરેલ હતી.ઉપરોકત દલીલો તથા સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકીકતો લઇ અત્રેના ચીફ જયુ. મેજી. શ્રી આર. બી. ગઢવી સાહેબે ચુકાદો આપી આરોપી વાસવીબેન રણજીતભાઇ સોલંકીને દોષીત ઠરાવી ૬ (છ) માસની સાદી કેદની સજા તથા રૂ. ૧,ર૦,૦૦૦/-નું વળતર ફરીયાદી મંડળીને ૩(ત્રણ) માસમાં ચુકવી આપવાનો હુકમ અને જો વળતર ના ચુકવે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી મંડળી શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. વતી કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, શકિતસિંહ એન. ગોહિલ, ભુપેન્દ્ર ટી. ગોહેલ, આદમશા જી. શાહમદાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા. 

(2:51 pm IST)