Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધંધુકીયા પરિવારને દિલસોજી પાઠવતા પૂ. કરશનદાસબાપુ

 વાટલીયા પ્રજાપતિ સમાજનાં પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયા તેમજ નરસીભાઇ ધંધુકીયાનાં માતુશ્રી દિવાળીબેન સવજીભાઇ ધંધુકીયાનું અવસાન થતાં પરબધામ જગ્યાનાં મહંત પૂજય કરશનદાસબાપુ ગુરુશ્રી સેવાદાસબાપુ ધંધુકીયા પરિવારના નિવાસ સ્થાને જઇ પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. પૂજય બાપુએ વાત કરી કે જન્મ અને મૃત્યુનો ક્રમ આદી અનાદીથી ચાલતો આવ્યો છે. પૂજય બાનાં જીવનમાંથી આપણે કાંઇક ગ્રહણ કરવાનું છે. શોક કે રડવાનું નથી. તેમ પૂજય કરશનદાસબાપુએ આશ્વાસ પાઠવતા જણાવ્યું હતું.

(2:50 pm IST)