Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પત્નિ છોડીને બીજા સાથે જતી રહ્યા બાદ ટેન્શનમાં રહેતાં મહેશભાઇ સળગ્યાઃ ગંભીર

પુત્ર-પુત્રી પણ અલગ રહેતાં હોઇ જંગલેશ્વર એકતા કોલોનીમાં એકલા રહેતાં કોળી આધેડ માનસિક તકલીફમાં મુકાઇ જતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૩૦: જંગલેશ્વરની એકતા કોલોનીમાં રહેતાં મહેશભાઇ લાલજીભાઇ ઝંઝવાડીયા (કોળી) (ઉ.વ.૪૫)એ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ભકિતનગરમાં જાણ કરી હતી. મહેશભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. પરંતુ હાલમાં કંઇ કરતાં ન હોઇ બહેનો તેને બે સમય ભોજન આપે છે. પરિવારજનોના કહેવા મુજબ ત્રણેક વર્ષ પહેલા મહેશભાઇને છોડીને તેના પત્નિ બીજા સાથે જતાં રહ્યા હોઇ ત્યાંરથી તે સતત ટેન્શનમાં રહે છે. હાલમાં તેનો દિકરો-દિકરી પણ નવાગામ અલગ રહે છે. કેટલાક સમયથી માનસિક તકલીફ થઇ ગઇ હોઇ તેની દવા પણ ચાલી રહી છે. એકલતાથી કંટાળી જઇ અગ્નિસ્નાન કરી લીધું હતું.

(3:02 pm IST)