Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફ શિવલીંગના દર્શન.

રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતી

મોરબી :વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી રહી છે..
મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવે છે. મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે  અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩૨૬૭૨૯ નો સંપર્ક કરવો તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

(11:59 pm IST)