Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

'અકિલા'ની ટીમ ગુજરાત્રીના પાયાના પથ્થર એવા વિરલ રાચ્છનો આજે જન્મદિવસ

રાજકોટ : અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ અને 'ગુજરાત્રી'ના એક મહત્વના અંગ અને પાયાના સ્તંભ સમા નાટ્યકર્મી, અદાકાર, દિગ્દર્શક, સંચાલક શ્રી વિરલ રાચ્છનો આજે જન્મદિવસ છે.

વ્યવસાયે તેઓ જામનગરના એક ખ્યાતનામ વકીલ છે. નામની જેમ જ વિરલ વ્યકિતત્વ ધરાવતા વિરલભાઈ મળતાવડા અને માયાળુ માનવી છે. 'ગુજરાત્રી'ના દરેક કાર્યક્રમને નોખો અનોખો બનાવવા માટે આઈડીયાથી લઈને એકસકયુશન સુધી ખૂબ જ મહેનત થાય છે જેમાં વિરલભાઈની અત્યંત મહત્વની ભૂમિકા હોય છે. એક સ્ટ્રીક ડીરેકટરથી લઈને એક લાઈવલી એન્કર સુધીના રોલ એ બખૂબી નિભાવી જાણે છે. વિરલભાઈને કલાક્ષેત્રના અનેક પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે.

કવિ મિલિન્દ ગઢવી સાથે એમણે કરેલી 'બૈતબાજી' તો હવે વિશ્વમાં વસતા ગુજરાતીઓનો પ્રેમ પામી છે. ઓન સ્ટેજ કમાલ હોય કે ઓનલાઈન ધમાલ, વિરલભાઈ હંમેશા એકસરખા એન્થુસીએઝમ સાથે જોવા મળે છે. કમીટમેન્ટ અને ક્રિએટીવીટીને વરેલા એવા આ વિરલ શખ્સને આજે એમના જન્મદિવસે અમે અકિલા-ગુજરાત્રી પરિવાર તરફથી અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. (મો.૭૦૧૬૫ ૨૬૭૯૬)

(1:08 pm IST)