Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે જ રોકી દેવાનો કારસોઃ રેલ્વેએ મીટીંગ બોલાવતા ધારાસભ્ય-ચેમ્બર્સ પ્રમુખ સહિત ગ્રામજનો ધુંઆપુંઆઃ મીટીંગનો બહિષ્કારઃ તોળાતુ જબ્બર લોકઆંદોલન

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા,તાલાલાનાં ભગાભાઇ બારડ,વેરાવળના વિમલ ચુડાસમા, ઉંનાના પુંજાભાઇ વંશ સહિત જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાનાં સર્વપક્ષિય આગેવાનોનુ એલાને-જંગના એંધાણઃ ચેમ્બર્સનાં નેજા તળે પ્રચંડ જનઆંદોલનની તૈયારીઓઃ પ્રજામાં ભભૂકતો રોષ

 

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૪ઃ આખરે સંભવિત ધારણા પ્રમાણે જ જૂનાગઢ શહેરને ફટક મુકત બનાવવાના ઓઠા તળે ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાની તો ઐસીતૈસી જેવા ઘમંડ સાથે વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફ્ેડે જ રોકી દેવાનો કારસો દ્યડાઇ રહ્યાનુ હવે તો સ્વયં સ્પષ્ટ થઇ રહ્યુ છે.

આવતી કાલે તા.૫નું રોજ બપોરે ૪ વાગ્યે વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફ્ેડે જ રોકી ત્યાં જ સ્ટેશન ઉંભુ કરવાના મુદ્દે પશ્ચિમ રેલ્વે-ભાવનગરનાં ડીવીઝનલ રેલ્વે મેનેજરએ બેઠકનુ આયોજન કરી ચેમ્બર્સ પ્રમુખ-ધારાસભ્ય-આગેવાનોને નિમંત્રિત કરતા ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા,ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર સહિતના આગેવાનો ધુંઆપુંઆ થયા છે અને રેલ્વે દ્વારા બોલાવાયેલ બેઠકનો બહિષ્કાર કરી આ પ્રે ચેમ્બર ઓફ્ કોમર્સના નેજા તળે પ્રચંડ જનઆંદોલન જગાવવાની તૈયારીઓ આરંભી દીધી છે.

ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા, વિસાવદર શહેર કોંગ્રેસનાં પ્રમુખ-ટીમ ગબ્બરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોષી સહિતના આગેવાનોએ ડીવીઝનલ રેલ્વે મેનેજર-ભાવનગરને પત્ર પાઠવી વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી ટ્રેનોનુ સ્ટેશન ગ્રોફ્ેડે ઉંભુ કરવાની બેઠકનો બહિષ્કાર કરી કોઇપણ કાળે સ્ટેશન સ્થળાંતરનો નિર્ણય સ્વીકાર્ય બનશે નહીં અને જો રેલ્વે  કોઇપણના દબાણમાં એકતરફ્ી નિર્ણય લેશે તો પ્રચંડ જનઆંદોલનનાં મંડાણ કરવામાં આવશે.

વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનો વર્ષોથી જૂનાગઢ શહેરના એકમાત્ર રેલ્વે સ્ટેશન પરથી જ આવજા કરે છે,વળી જૂનાગઢ-વિસાવદર વચ્ચે માત્ર સવાર-સાંજ બે જ ટાઇમ ટ્રેન દોડે છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે,રેલ્વેએ ફટક મુકત શહેર બનાવવા અંડરબ્રીજ-ઓવરબ્રીજ કે,અન્ય કોઇ વિકલ્પ વિચાર્યા વિના પ્રજાની જાન-માલની લેશમાત્ર પરવા કર્યા વિના જૂનાગઢ શહેરની બારોબાર નિર્જન જેવા સ્થળે વિસાવદર તરફ્થી જૂનાગઢ આવતી મીટરગેજ ટ્રેનો માટેનુ નવુ સ્ટેશન ઉંભુ કરવાનુ વિચાર્યુ જેના સામે પ્રજામાં ભારે રોષ ઉંઠ્યો છે.

વિસાવદર મીટરગેજ ટ્રેન હાલ જૂનાગઢના મુખ્ય સ્ટેશન સુધી જઇ રહી છે જેથી ત્યાંથી જ આગળની ટ્રેનો મળી શકે છે,સહેલાઇથી સમયસર પહોંચી સલામતરીતે બીજી ટ્રેનો પકડી શકાય છે,પરંતુ જો ગ્રોફ્ેડે સ્ટેશન ઉંભુ કરાય તો અબાલ-વૃદ્ધ-મહિલાઓ-બાળકો સહિતના મુસાફ્રોએ છેક ગ્રોફ્ેડેથી મુખ્ય રેલ્વે સ્ટેશન પર પહોંચતા અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.

અત્રે ઉંલ્લેખનીય છે કે,વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનો અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાના મુસાફ્રોને સ્પર્શતી સુવિધા છે.

દરમિયાન ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું છે કે,વિસાવદર તરફ્થી જૂનાગઢ જતી ટ્રેનોને જૂનાગઢ શહેરની બારોબાર રોકી ત્યાં સ્ટેશન ઉંભુ કરવાના મુદ્દે જનઆંદોલનમાં  તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ,વેરાવળના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા તથા ઉંનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ સહિતના આગેવાનોનો સહયોગ મળી રહેશે જે અંગેની રણનીતિ અંગે વિચાર વિમર્શ માટે ચેમ્બર ઓફ્ કોમર્સ-વિસાવદરના નેજા તળે એક બેઠકનુ પણ આયોજન કરીશું.

ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે કોઇપણ કાળે રેલ્વેનો એકતરફ્ી તઘલઘી નિર્ણય સ્વીકારાશે નહીં અને જનસમર્થન મેળવી આંદોલનના મંડાણ કરીશું.એકંદરે વધુ એક વખત વિસાવદર ખાતે પ્રચંડ જનઆંદોલન તોળાઇ રહ્યુ છે.

(4:03 pm IST)