Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૭ કેસ નોંધાયા જ્યારે ૧ દર્દીનું અવસાન થયું

અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દી સારવાર હેઠળ

( વિપુલ હિરાણી દ્વારા )    ભાવનગર :ભાવનગર  જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૭ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયા છે.

આજરોજ જિલ્લામાં મ્યુકર માઇકોસીસથી ૧ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયેલા પૈકી ૧૧૪ કન્ફર્મ કેસ, ૯ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૨ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

(5:18 pm IST)