Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કેશોદ સરકારી હોસ્‍પિટલ સ્‍ટાફ દ્વારા વિશ્વ કેન્‍સર દિનની ઉજવણી

  કેશોદ : કેશોદ જલારામ મંદિર દ્વારા મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવેલું હતું.    જેમાં સરકારી હોસ્‍પિટલ કેશોદ અને એન. સી. ડી . વિભાગ દ્વારા વિશ્વા કેન્‍સર દિનની ઉજવણી કરી જાહેર જનતાને કેન્‍સર વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા  સ્ત્રીઓમાં મુખ્‍યત્‍વે સ્‍તન કેન્‍સર અને ગર્ભાશયના મુખનું કેન્‍સરનું પ્રમાણ વધુ જોવા મળે છે જેથી તા. ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્‍સર દિન નિમિત્તે કેશોદના સામાજિક કાર્યકર દિનેશભાઈ કાનાબાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વિલંબ વિના નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર અને એનસીડી વિભાગનો સંપર્ક કરી આ રોગને અટકાવવો જોઈએ આ તકે દીપેન અટારા ફાર્માસિસ્‍ટ સરકારી હોસ્‍પિટલ તેમજ જીગ્નેશ ચાંદેગરા કૌશલ દ્વારા લોકોને કેન્‍સર વિશે જાગળતિ લાવવા વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી.

(11:52 am IST)