Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે ષોડશોપચાર પૂજન-અર્ચન : ભાવિકો ઉમટયા

વાંકાનેર : શ્રી સ્‍વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ જગ વિખ્‍યાત યાત્રાધામ શ્રદ્ધા કા દૂસરા નામ સાળંગપુરધામ ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગઈકાલે તા, ૫ મીના રવિવારના પૂનમના રોજ સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી તથા સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી ( અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી દાદાને દિવ્‍ય વાંઘાનો શણગાર કરવામાં આવેલ હતો તૅમજ સાંજે ૫ :૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું ષોડશોપચાર પૂજન - અર્ચન એવં પુષ્‍પાભીષેક કરી સંતો દ્વારા દિવ્‍ય સંધ્‍યા આરતી કરવામાં આવેલ હતી તેમજ મંદિરના પટાંગણમા ‘‘મારૂતિ યજ્ઞ''નું આયોજન કરવામાં આવેલ હતુ ગઈકાલે પૂનમ હોય અને સાથોસાથ રવિવાર હોય દાદાના દરબારમા હજારો ભક્‍તોએ દિવ્‍ય દર્શનનો મંગળા આરતીનો પ્રત્‍યક્ષ તેમજ યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન લાભ લીધેલ હતો હજારો ભાવિકોએ શનિવાર અને રવિવાર ના ભોજનાલયમા દાદાનો મહાપ્રસાદ લીધેલ હતો આરતી મા મંદિર પરિસરશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જય  નારાથી ગુંજી ઉઠેલ હતુ.

(12:11 pm IST)