Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જસદણના પદયાત્રીક જયેશભાઇ કલ્‍યાણીનું વણિક સમાજમાં સન્‍માન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૭: જસદણના પદયાત્રી જયેશભાઈ કલ્‍યાણીનું તાજેતરમાં વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા મહોત્‍સવ દરમિયાન સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જયેશભાઈ કલ્‍યાણીએ જસદણ થી મોઢેરા, દ્વારકા, નાથદ્વારા, ભાવનગર ખોડિયાર સહિતના અનેક યાત્રાધામોની જસદણ થી ચાલીને પદયાત્રા કરી છે તે બદલ જસદણ મોઢ વણિક યુવક મંડળના અગ્રણીઓ પ્રશાંતભાઈ વડોદરિયા તથા જીગ્નેશભાઈ બાબરીયાએ જયેશભાઈ કલ્‍યાણીનું શાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું.

(10:41 am IST)