Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

માણાવદરના રોણકી ગામે કુવામાં ખાબકતા એમપીના શ્રમિકનું મોત

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૦ : માણાવદરના રોણકી ગામે કુવામાં ખાબકતા એમપીના શ્રમિકનું મોત થયાનું જાણવા મળેલ છે.  માણાવદર તાલુકાના રોણકી ગામે મજુરી કામ કરતા મધ્‍યપ્રદેશના કૈલાસભાઇ કાહરીયાભાઇ જામેરને ગઇકાલે કપાસ ઉતારતા ગરમી થયેલ.

આથી વાડીના કુવાની બાજુમાં આવેલ કુંડીમાં આ યુવાન ન્‍હાવા ગયો હતો ત્‍યારે અકસ્‍માતે પગ લપસતા કૈલાસ કુવામાં ખાબકયો હતો જેના કારણે તું કુવાના પાણીમાં ડુબી જવાથી મૃત્‍યુ નિપજ્‍યું હતુ઼.

આ અકસ્‍માત મામલે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(11:23 am IST)