Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ગોંડલ તાલુકાનાં રાંદલ માતાજીના સાનિધ્યમાં કાલે ભવ્ય સંતવાણી

માયાભાઇ આહિર, હેમંત ચૌહાણ, લક્ષ્મણ બારોટ, લલીતાબેન ઘોડાદ્રા, ઉર્વશીબેન રાદડીયા રમઝટ બોલાવશે

(ભીખુપરી ગોસાઇ દ્વારા)ખીરસરા તા. ૧૦ : સૌરાષ્ટ્ર ગુજરાતના ભકતોનું આસ્થાનું પ્રતિક રાંદલ માતાજી દડવા કૈલાસવાસી મહંત શ્રી બળવંત પ્રગટ બાપુ ગોસાઈની ચતુર્થ પૂણ્યતિથિ નિમિત્તે પ્રગટ પરીવાર રાંદલ દડવા દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. મહંત રમેશ પ્રગટ, સમજુ પ્રગટ, ગોસાઈ પ્રતાપ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ રસીક પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ  હરેશ પ્રગટ બળવંત પ્રગટ ગોસાઈ અશ્વિન પ્રગટ રમેશ પ્રગટ ગોસાઈ, પ્રકાશ પ્રગટ, નિખીલ પ્રગટ, દિપક પ્રગટ, યશ પ્રગટ ગોસાઈ ભકતો  સંતવાણીમાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવે છે. સંતવાણી કલાકાર લક્ષ્મણભાઈ બારોટ હેમંતભાઈ ચૌહાણ લલીતાબેન ધોડાદ્રા ઉર્વશીબેન રાદડીયા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર જીતુભાઈ દ્વારકાવાળા  સાહિત્ય કલાકાર દેવદાનભાઇ ગઢવી શ્રવણદાસ બાપુ નિમાવત ગુલાબગીરી બાપુ, દલસુખભાઈ પ્રજાપતિ, જયદિપભાઇ સોની, મયુરભાઈ દવે સહિતના સૌરાષ્ટ્ર ગુજરાત ના સુપ્રસિદ્ધ હાસ્ય તેમજ સંતવાણીના કલાકારો તેમની આગવી શૈલીમાં કલા પીરસશે. ઉપસ્થિત રહેવા હરેશ પ્રગટ બળવંત પ્રગટ ગોસાઈનું સર્વેને ભાવભર્યું આમંત્રણ સાથે ધર્મ સભા તેમજ સંત સામૈયા પણ રાખવામા આવેલ છે તો સર્વે સંતો મહંતો એ ઉપસ્થિત રહેવા નિમંત્રણ ૫ાઠવ્યું છે.

(12:18 pm IST)