Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ગોંડલની શ્રીનાથજીધામ હવેલીમાં રાસપંચાધ્યાયી રસપાન મહોત્સવ યોજાયો

(અશોક જોષી દ્વારા) ગોંડલ,તા. ૧૦ : ગોંડલમાં પુ.પા.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી અમરેલી વાળા સ્થાપીત શ્રીનાથજી ધામ હવેલીમાં શ્રીનાથજી મહીલા સત્સંગ મંડળ દ્વારા આયોજીત શ્રી મહાપ્રભુજી રચીત શ્રી ભાગવતજી, શ્રી શુબોધનીજીના સાર રૃપ રાસપંચાધ્યાયી પ્રભુની રાસલીલાનું સુંદર ભાવસભર સંગીતમય શૈલીમાં શ્રી ઠાકોરજીના નંદાલય હવેલીમાં વ્રજ ગોકુલ બડી બેઠકજીના શાસ્ત્રી શ્રી અમિતાચાર્યજીના સ્વમુખેથી ગોંડલના બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો.

રાસ પંચાધ્યાયી સાથે પ્રભુની વ્રજની વિવિધ લીલા, વ્રજના અલૌકીક તિર્થ ક્ષેત્રો, શ્રી યમુનાજી, શ્રી ગીરીરાજજી, વૃંદાવનધામ, શ્રી ગોકુલ, પ્રભુની લીલા અને લીલા સ્થળનું સુંદર વર્ણન સરળ ભાષામાં સૌને પ્રમાણસહ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુંસાઇજી, શ્રી ગોકુલનાથજીના દિવ્ય પ્રસંગો સાથે સૌને સમજાવેલ આ પ્રસંગે શ્રીનાથજી ધામ હવેલીના કાર્યકરો તેમજ મહીલા સત્સંગ મંડળના બહેનો દ્વારા શાસ્ત્રીજીનું સન્માન કર્યું હતું.

(12:20 pm IST)