Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જુનાગઢમાં પુ.ભારતીબાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરતા અખાડાના વરિષ્ઠ સંતો

જુનાગઢઃ અમદાવાદ સ્થિતશ્રી ભારતી આશ્રમના સંસ્થાપર મહામંડલેશ્વર પુ.વિશ્વંભારતીજી મહારાજ ગત તા.૧૧ એપ્રીલના રોજ બહુમલીન થતા સાધુ સમાજ અને સેવક સમુદાય શોકાગ્રસ્ત થયો છે. પુ.ભારતીબાપુ બ્રહ્મલીન થયા તે વખતે હરિદ્વારમાં કુંભમેળો ચાલતો હોવાથી મોટા ભાગના સંતો મહંતો ત્યાં હાજર હોવાથી અંતિમ વિધીમાં હાજર ન રહી શકયા હોય તેવા ભવનાથ મંદિરના મહંત પુ.હરીગીરીજી મહારાજ અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ.મુકતાનંદબાપુ,  પુ.ઇન્દ્રભારતી બાપુ, પુ. શેરનાથબાપુ, મહામંડલેશ્વર મહિન્દ્રાનંદગીરીજી, દલપતગીરીજી, પુ.હરીહરાનંદભારતીજી, પુ.મહાદેવ ભારતીબાપુ સહિતના સંતો મહંતો ભારતી આશ્રમ પુ.બાપુને પુષ્પાજંલી આપી શ્રધ્ધા સુમ અર્પણ કર્યા હતા. બાદમાં સૌ સંતોએ ભોજન પ્રસાદ લીધો હતો.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃજુનાગઢ)

(11:53 am IST)