Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બાઇક સ્લીપ થતાં જેતપુરના પાંચ પીપળીયાના ખાંટ પિતા-પુત્રી ફંગોળાઇ જતાં ૨૨ વર્ષની પુત્રીનું મોત

ફઇની દિકરીની સગાઇમાંથી પરત આવતી વખતે બનાવ બન્યો’તોઃ મનિષાએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૨: ધોરાજીના વેગડી અને અમરકોટ વચ્ચે આઠ દિવસ પહેલા બાઇક સ્લીપ થઇ જતાં જેતપુરના પાંચપીપળીયાના ખાંટ પિતા-પુત્રી ફંગોળાઇ ગયા હતાં. જેમાં ગંભીર ઇજા પામનાર બાવીસ વર્ષની દિકરીનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. પાંચપીપળીયા ગામે રહેતાં ભગવાનજીભાઇ ચૌહાણ (ખાંટ) અને પુત્રી મનિષા ચૌહાણ (ઉં.૨૨) ગત ૧૪મીએ ધોરાજીના વેગડી ગામે ફઇની દિકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી બાઇકમાં બેસી પરત પોતાના ગામે આવી રહ્યા હતાં ત્યારે વેગડી અમરકોટ વચ્ચે બાઇક સ્લીપ થઇ જતાં પિતા-પુત્રી બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાંપિતાનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે દિકરી મનિષાને ગંભીર ઇજા થતાં માણાવદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાતે તેણીનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના આર.બી. ગીડાએ કાગળો કર્યા હતાં.
મૃત્યુ પામનાર મનિષા છ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે.

 

(10:37 am IST)