Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

લાખાપરમાં યુવતિ પર મનસુખનો નિર્લજ્જ હુમલોઃ દેકારો કરતાં ઢીકાપાટુ મારી ભાગી ગયો

યુવતિ ભયભીત થઇ અર્ધબેભાન થઇ જતાં સારવારમાં

રાજકોટ તા. ૨૨: સરધારના લાખાપર ગામે વાડી વાવવા રાખનાર જસદણ પંથકના ગામના પરિવારની ૨૧ વર્ષની દિકરી રાતે વાડીના રૂમ બહાર ફળીયામાં હતી ત્યારે એક શખ્સે તેના પર નિર્લજ્જ હુમલો કરી દેતાં તેણીએ દેકારો મચાવતાં એ શખ્સ ઢીકાપાટુનો માર મારી ભાગી ગયો હતો.  યુવતિ અર્ધબેભાન જેવી થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

૨૧ વર્ષની યુવતિના સગાએ કહ્યું હતું કે અમે જસદણ પંથકમાંથી લાખાપર પાસે વાડી વાવવા રાખી છે. સાંજે આઠેક વાગ્યે અમે બધા વાડીના રૂમમાં હતાં ત્યારે અમારી દિકરી બહાર ફળીયામાં ગઇ હતી. થોડીવાર બાદ બૂમાબૂમ થતાં અમે દોડીને બહાર ગયા હતાં ત્યારે એક શખ્સ અમારી દિકરીને મારકુટ કરી ભાગી ગયો હતો.

દિકરીને પુછતાં એ શખ્સે નિર્લજ્જ હુમલો કર્યો હતો. પોતે પ્રતિકાર કરી દેકારો કરતાં મારકુટ કરી ભાગી ગયો હતો.  અમને જાણવા મળ્યું છે કે આ શખ્સ નજીકમાં જ રહેતો મનસુખ નામનો બે સંતાનનો પિતા છે. જો કે યુવતિ હજુ સંપુર્ણ ભાનમાં ન હોઇ પોલીસ નિવેદન નોંધી શકી નથી.

(1:30 pm IST)