Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વિંછીયા નજીક અકસ્માતમાં આણંદપુર ગામના વેપારી તૌસીફભાઇ વડીયાનું મોત

બુલેટને હડફેટે લઇ છકડો રીક્ષાચાલક ભાગી ગયોઃ એકના એક પુત્રએ પિતાની છાંયા ગુમાવતા મુસ્લીમ પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા., રરઃ વિંછીયાના ઢેઢુકી ગામ પાસે છકડો રીક્ષાએ  બુલેટને હડફેટે લેતા ચાલક ચોટીલાના આણંદપુર ગામના વેપારીનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના આણંદપર ગામે રહેતા અને ત્યાં જ એગ્રોની દુકાન ધરાવતા વેપારી તૌશીફભાઇ ઇકબાલભાઇ વડીયા પોતાના બુલેટ નં. જીજે ૦૩-કેજે-૦પ૮પ લઇને વિંછીયાથી આણંદપુર આવતા'તા ત્યારે રીક્ષા નં. જીજે-૦૩-એકસ-૦ર૭૯ના ચાલકે હડફેટે લેતા તૌશીફભાઇને ગંભીર ઇજા થતા સારવાર અર્થે જસદણ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું.

બનાવ બાદ ચાલક રીક્ષા લઇ નાસી છુટયો હતો. બનાવ અંગે મૃતકના ભાઇ સાહીદભાઇએ રીક્ષા ચાલક સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વેપારી તૌશીફભાઇ પરીણીત હતા અને સંતાનમાં પ વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવતા મુસ્લીમ પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:47 am IST)