Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પૂ. શંકરાચાર્ય મહારાજજી શારદાપીઠમાં દર્શને

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. રર :.. પુરી પીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્યજીએ ભગવાન શ્રી દ્વારકાધીશ તથા શારદાપીઠના આરાધ્ય ભગવાન ચંદ્રમૌલેશ્વરના દર્શન કરી ભગવાન આદ્ય શંકરાચાર્યજીનું પાદુકા પૂજન કર્યુ. શારદાપીઠ પરિવાર તરફથી બ્રહ્મચારી નારાયણનંદજીએ આચાર્યજીનું વિધિ-વિધાન પૂર્વક સ્વાગત, સન્માન કર્યુ તથા ખંભાતથી આવેલ બંકીમચંદ્ર વ્યાસજીએ પણ સ્વાગત કર્યુ. શંકરાચાર્યજી મહારાજશ્રીએ કહયું કે પૂજય જયોતીષપીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ પૂજય છે તથા આદરણીય છે તથા મારાથી મોટા છે. ગૌ હત્યાના પ્રશ્નના ઉતરમાં શંકરાચાર્યજી મહારાજએ કહયું કે જો દેશ હિન્દુ રાષ્ટ્ર ધોષિત થાય અને સનાતનિયોની સરકાર બને તો બધા ઉત્પાત સમાપ્ત થઇ શકે.

પૂજય શંકરાચાર્યજી મહારાજશ્રીના શારદાપીઠમાં આગમનના અવસરે શારદાપીઠ ના પીઠ પંડિત અશ્વિનભાઇ પુરોહીત, શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમીના ડાયરેકટર જયપ્રકાશ નારાયણ દ્વિવેદીજી, સંસ્કૃત વેદ વિદ્યાલયના આચાર્ય ઇશ્વરભાઇ આરંભડીયા, સંસ્કૃત પાઠશાળાના પ્રધાન આચાર્ય કુલદીપભાઇ પુરોહીત, શ્રી શારદાપીઠ કોલેજના આચાર્ય સંદિપભાઇ વાઢેર, વરવાળા આશ્રમશાળાના આચાર્ય કીરીટભાઇ કાયડા, દ્વારકાધીશ મંદિરના પુજારી મુરલીભાઇ ઠાકર, શારદાપીઠ સંચાલિત ૧૬ મંદિરના પુજારી આનંદભાઇ ઉપાધ્યાય, શારદાપીઠ વિદ્યાસભાના સદસ્ય વત્સલભાઇ પુરોહીત  તથા દ્વારકાના ગણ માન્ય લોકો ઉપસ્થિત રહી પૂજય શંકરાચાર્યજીનું સ્વાગત કરી આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતાં.  (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(12:37 pm IST)