Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જામનગર જી.જી.હોસ્પિટલમાં લાં..બા સમય બાદ દ્વારકાનાં એક વ્યકિતનું કોરોનાથી મૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨ : જામનગરમાં કોરોનાનો હાવ ફરી સામે આવ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની ગણાતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના વિભાગમાં ઘણા લાંબા સમય બાદ ફરી એક વાર કોરોનાથી એક વ્યકિતનું મૃત્યુ નોંધાયુ છે. જામનગરમાં ગઇ કાલે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન વધુ એક શહેરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે દ્વારકાના એક વ્યકિતનું કોરોનાની સારવાર દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યુ છે.

(12:38 pm IST)