Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

રાઘવજીભાઈ જામનગર જિલ્લાના પ્રવાસે

જામનગર તા.૨૪ : રાજ્‍યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોધ્‍યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શનિવારના  જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી સવારે ૯:૦૦ કલાકે વાંકિયા ખાતે આયોજિત તાલુકા કક્ષાના આયુષ નિદાન મેળામાં હાજરી આપશે. બપોરે ૧:૩૦ થી ૩:૩૦ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્‍નોનું નિરાકરણ લાવશે. ત્‍યારબાદ સાંજે ૪:૦૦ કલાકે બાલંભડીમાં ચેકડેમની કામગીરીનું ખાતમુહૂર્ત તેમજ સાંજે ૫:૦૦ કલાકે મોટી ખાવડી ગામે નવનિર્મિત ગ્રામપંચાયત ઘરનું લોકાર્પણ કરશે.

(1:51 pm IST)