Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ખંભાળિયામાં ખોડીયાર મંદિરે પદયાત્રીઓ માટે સેવા કેમ્‍પ

ખંભાળિયા તા.ર૪ : આગામી માર્ચ માસમાં દ્વારકા ફુલડોલ ઉત્‍સવમાં રોજ હજારો પદયાત્રીઓ નીકળતા હોય તેમની સેવા માટે ખંભાળિયા વિસ્‍તારમાં ઢગલાબંધ સેવા કેમ્‍પો થાય છે. જેમાં ખોડીયાર મંદિરે સેવાભાવીઓ દ્વારા થતો સેવા કેમ્‍પ અનોખો છે. જાણીતા સેવાભાવી દીલુભાઇ સોની, અશોકભાઇ કાનાણી તથા સેવાભાવીઓની ટીમ દ્વારા આવતીકાલ તા.રપ-ર-૨૩ થી કેમ્‍પ શરૂ થશે જે ૬-૩-ર૩ સુધી રોજ ર૪ કલાક ચાલુ રહેશે. આ કેમ્‍પમાં આખો દિવસ ચા, નાસ્‍તો, બપોરે રાત્રે ભોજન ઉપરાંત ચાલીને જતા પદયાત્રીઓ માટે માલીશ પગ ચંપી તથા પ્રાથમીક સારવાર સાથે રાત્રી નિવાસની  પણ વ્‍યવસ્‍થા કરાય છે. તો મહિલા સ્‍વંય સેવકો મોટી સંખ્‍યામાં આ સેવાકાર્યમાં જોડાઇ  છે તથા મીઠાઇઓ સાથેનું દેશી ભોજન પણ આપવામાં આવે છે. જેનો લાભ પદયાત્રીઓને લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

(1:44 pm IST)