-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
નંદ ઘેર આનંદ ભયો.. હળવદમાં વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલયનો શુભારંભ
બે વર્ષ બાદ શોભાયાત્રા અને વિરાંજલી લોકડાયરાનું ભવ્ય આયોજન
(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૬ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા ૨ વર્ષથી કોરોનાના લીધે યાત્રા સાદગીપૂર્વક નીકળી હતી. આ વર્ષે ઈશ્વર કૃપાથી જનજીવન સામાન્ય બનતા પ્રભુ શ્રી કૃષ્ણના જન્મોત્સવની હળવદ શહેરમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. તે અનુસંધાને કાર્યાલય શુભારંભ પ્રસંગનું આયોજન બ્રાહ્મણની ભોજનશાળા ખાતે કરવામાં આવ્યું હતું અને શિવાલિક કોમ્પલેક્ષ - નગરપાલિકા પાછળ કાર્યાલયનો શુભારંભ થયો છે.
આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત પૂજય દિપકદાસજી મહારાજ , અને પૂજય પ્રભુચરણદાસજી મહારાજે હાજર સ્વયંસેવકોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો. મિલનભાઈ માલમપરા, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, દિલીપભાઈ સોની, ઈશ્વરભાઈ દલવાડી, પરેશભાઈ રાવલ, કેતનભાઈ દવે, ઘનશ્યામભાઈ દવે, રશ્મિનભાઈ દેથરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે આ વર્ષે અનેક નવીન ફલોટ્સ અને શ્રી રાધાકૃષ્ણ સ્પર્ધા, મટકી ફોડ કાર્યક્રમ સહિત ૧૪ ઓગસ્ટ એટલે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે ભવ્યાતિભવ્ય વિરાંજલી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયિકા અપેક્ષાબેન પંડ્યા, ભજનના આરાધક પ્રવિણદાન ગઢવી તેમજ સંચાલન ભરતદાન ગઢવી કરશે. આ કાર્યક્રમ ૧૪ ઓગસ્ટના રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે. બંને કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના સૌ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.