Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામજોધપુરમાં શ્રીજી દર્શન હવેલી ખાતે હિંડોળા દર્શન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ર૬ :.. જામજોધપુરમાં ગઇકાલે શ્રીજી દર્શન હવેલી ખાતે સોનેરી ઝરીના હિંડોળા દર્શન યોજાયા હતા, ભગવાનને સોનેરી ઝરીના શણગાર કરાયા હતા. આ શણગારના દર્શન કરી ભકતો ભાવવિભોર બન્‍યા હતાં, જામજોધપુર શ્રીજી દર્શન હવેલી ખાતે દરરોજ અવનવા આકર્ષક અને મન મોહક ભવ્‍યતિભવ્‍ય હિંડોળાના શણગાર કરવામાં આવે છે. સાંજના ૬ વાગ્‍યાથી હિંડોળા દર્શન શરૂ થાય છે જેના દર્શનનો બહોળી સંખ્‍યામાં ભકતો લાભ લઇ ધન્‍યતા અનુભવી રહ્યા છે.

(10:59 am IST)