Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામકંડોરણાના બેલડા ગામના ખેડૂતના વારસદારને વિમાનો ચેક અર્પણ

 જામકંડોરણા : તાલુકાના બેલડા ગામના ખેડૂત ખાતેદાર પ્રતાપસંગ વશરામસંગ જાદવનું અકસ્‍માતે અવસાન થતાં શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક તેમજ શ્રી બોરીયા જુથ સેવા. સહકારી મંડળી દ્વારા લેવાયેલ અકસ્‍માત વિમા પોલીસી અંતર્ગત જીલ્લા બેંક દ્વારા રૂ.૧૦ લાખ તેમજ મંડળી દ્વારા ર.પ લાખની વિમાની રકમનો ચેક તેમના વારસદારોને અર્ષણ કરી જીલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, વિઠલભાઈ બોદર, ચંદુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, ચંદુભાઇ લુણાગરીયા, નાથાભાઈ બાલધા, વિક્રમભાઈ સોલંકી તેમજ આગેવાનોએ સાંત્‍વના પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલ : મનસુખભાઇ બાલધા જામકંડોરણા)

(11:03 am IST)