Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સુરેન્‍દ્રનગરમાં સુવિધારૂપ નખાયેલી ભુગર્ભ ગટરો બની હાલાકીનું કારણ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૨૬ : શહેરમાં નાંખવામાં આવેલી ભુગર્ભગટર સુવિધારૂપ બનવાને બદલે મુશ્‍કેલી સર્જતી હોય તેવા અનેક કિસ્‍સા બની રહ્યા છે. અનેક જગ્‍યાએ ભુગર્ભગટર બ્‍લોક હોવાથી ગટરનું પાણી આગળ જવાને બદલે રસ્‍તા પર ફરી વળે છે. લોકોનાં ફળીયામાં પાણી ભરાય છે. તો મુખ્‍યમાર્ગો પર મેઈન ગટરનાં ઢાંકણ અનેક જગ્‍યાએ તુટી ફુટી ગયા છે.

જેને કારણે વાહનચાલકોને પારાવાર પરેશાની વેઠવી પડે છે. સુરેન્‍દ્રનગરનાં કુંથુનાથ દેરાસર ચોકથી બહુચર હોટલ તરફ જવાના મુખ્‍ય માર્ગ ઉપર છેલ્લા ઘણા સમય ભુગર્ભગટરનું ઢાંકણુ તુટી ગયુ હોવાથી વાહનચાલકોને ખુબજ મુશ્‍કેલી પડે છે. એવામાં એક રીક્ષા આ રોડ પર મુરલીધર આઈસ્‍ક્રીમ પાસે ઢાંકણામાં  ફસાઈ ગઈ હતી.  નગરપાલીકાનાં તંત્રવાહકો આવા તુટેલા ઢાંકણા હટાવી નવા મુકાવે તેવી માંગણી ઉઠી છે.

(11:06 am IST)