Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

દારૂ વેંચનારાને રાજકીય રક્ષણ મળે છેઃ અરવિંદ કેજરીવાલના પ્રહારો

ભાવનગર તા. ર૬ :.. બોટાદના લઠ્ઠાકાંડ મુદ્‌્‌ે અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્‍યું છે. દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્‍ટ્રના પ્રવાસે છે, ત્‍યારે કેજરીવાલે પોરબંદરથી સોમનાથ રવાના થયા ત્‍યારે તેમણે લઠ્ઠાકાંડ મુદ્‌્‌ે સરકાર પર પ્રહાર કર્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ મળે છે. દારૂ વેચનારા લોકોને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. ગેરકાયદે દારૂના રૂપિયા કયાં જાય છે તેની તપાસ થાય તેવી માંગણી કરી છે.

(11:39 am IST)