Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ધોરાજીની નદી બજાર બની ગંદકી બજાર

આ વિસ્‍તારમાં ગંદકીથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન


  ધોરાજી,તા.૨૬ :   ધોરાજીના નદી બજાર કરિયાણા બજાર વિસ્‍તારમાં આવેલા નવી શાક માર્કેટ તેમજ લીલાપીઠ નજીક વ્‍યાપક પ્રમાણમાં ગંદકીને કારણે વેપારીઓ અને રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
હાલ ચોમાસાની ઋતુમાં ગારા કીચડની સમસ્‍યા ઉપરાંત કચરો અને ગંદકીના ગંજ ખડકાયા રહેતા હોવાથી રોજિંદી મુશ્‍કેલી બની રહે છે.
કચરાના ઢગલાનો નિયમીત નિકાલ થતો ન હોવાથી ભારે દુર્ગંધ પણ ફેલાઈ છે. નદી બજાર કરિયાણા બજાર વિસ્‍તારમાં નિયમીત કચરો ઉપાડવામાં આવે તેવી વેપારીઓએ માંગણી કરી હતી.

 

(11:42 am IST)