Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથ મંદિર માં આવી બહું શાંતિ મળે છે, દેશ ની તરક્કી અને શાંતિ માટે પ્રાર્થના કરી : સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે દિલ્હી ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૬

સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે દિલ્હી ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે આવ્યા હતા સોમનાથ મહાદેવ ના દર્શન ધ્વજા પૂજા તથા સોમેશ્વર મહાપૂજન કરી ધન્ય બન્યા હતા.  સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એ તેઓને સ્મૃતિભેટ આપી સ્વાગત સન્માન કરેલ હતું.

તેઓએ યાત્રિ પ્રતિભાવ  બુક માં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે *'સોમનાથ  મંદિર માં આવી બહું શાંતિ મળે છે, દેશ ની તરક્કી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમ લખ્યું હતું અને શ્રી સોમનાથ મેનેજમેન્ટ નો વ્યવસ્થા અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો'

(12:42 pm IST)