Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

લઠ્ઠાકાંડના અસરગ્રસ્‍તોને મળવા દિલ્‍હીના મુખ્‍યમંત્રી કેજરીવાલ બપોરે ભાવનગરમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૬ :  લઠ્ઠાકાંડના કેટલાક અસરગ્રસ્‍તો અને ભાવનગરની સરકારી હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે. ત્‍યારે દિલ્‍હીના મુખ્‍યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે બપોરના ભાવનગરની હોસ્‍પિટલની મુલાકાત લેનાર હોવાનું આપના ભાવનગર શહેર પ્રમુખે જણાવ્‍યું છે.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્‍યારે લઠ્ઠાકાંડ ઘટનાના પગલે તેઓ પણ આજે બપોરે ભાવનગર દોડી આવશે તેમ જાણવા મળેલ છે. આમઆદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા એ જણાવ્‍યું હતું કે, આજે બપોરે  ૨ વાગ્‍યે અરવિંદ કેજરીવાલ ભાવનગર આવશે અને હોસ્‍પિટલની મુલાકાત લઇ ભોગગ્રસ્‍ત તેમજ અસરગ્રસ્‍ત લોકો અને પરિવારની મુલાકાત લેશે. કેજરીવાલની આ  મુલાકાતને લઇને રાજકારણ ગરમાયું છે.

(1:32 pm IST)