Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથ એસો. દ્વારા ધ્‍વજા આરોહણ

કેટરીંગ એસો.નું રાષ્‍ટ્રીય અધિવેશન સોમનાથમાં યોજાશે : સોમનાથ કેટરીંગ એસો. દ્વારા ધ્‍વજા આરોહણ કરવામાં આવેલ તેની તસ્‍વીર (તસ્‍વીરઃ દીપક કક્કડ-વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૨૬: સોમનાથ મહાદેવ મંદિરે કેટરીગ એસો.દ્વારા ધ્‍વજા આરોહણ કરવામાં આવેલ હતી.આગામી કેટરીગ એસો.નું રાષ્‍ટ્રીય અધિવેશન સોમનાથમાં રાખવામાં આવશે તેનો યજમાન આ વિસ્‍તાર બનશે. તેવી જાહેરા એસો.ના હોદેદારો દ્વારા કરવામાં આવી હતી. સોમનાથ કેટરીગ એસો.ના પ્રમુખ મીલન જોષી એ જણાવેલ હતું કે શ્રાવણ માસના પુર્વે કેટરીંગ એસો.દ્વારા સોમનાથ મંદિરે ધ્‍વજા આરોહણ કરાયેલ બેન્‍ડ વાઝા સાથે સભ્‍યોએ જય સોમનાથ  હર હર મહાદેવ ના નાદ સાથે મંદિર પહોચી પુજા કરી આસ્‍થાભેર  ધ્‍વજા આરોહણ કરેલ હતી.

આ કાર્યક્રમમાં પરીવારજનો પણ  જોડાયેલ હતા કેટરીંગ એસો.ની મીટીંગ મળેલ હતી તેમાં આ વર્ષે  સોમનાથ દાદા ના સાંનિઘ્‍ય માં આખા ભારતનું કેટરીગ એસો.ની  મીટીગ યજમાન પદે રાખવાનું નકકી કરાયેલ હતું આ કાર્યક્રમમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહીતના અધિકારીઓકર્મચારીઓહાજર રહેલ હતા.

(1:41 pm IST)