Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વિસાવદર પાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ - હર ઘર તિરંગા - વંદે ગુજરાત કાર્યક્રમની રંગેચંગે ઉજવણી

વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્‍થળ પર જ મંજૂરીના હુકમો - પ્રમાણપત્રો - કીટોનુ વિતરણ - વૃક્ષારોપણ સહિત અનેકવિધ કાર્યક્રમો સંપન્‍ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૬: વિસાવદર નગર પાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ - હર ઘર તિરંગા - વંદે ગુજરાત કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્‍થળ પર જ મંજૂરીના હુકમો - પ્રમાણપત્રો - કીટોનુ વિતરણ કરવામાં આવ્‍યું હતુ.વૃક્ષારોપણ સહિત અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

વિસાવદરમાં વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્‍સવ રથ આવી પહોંચતા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ.આ પ્રસંગે વિસાવદર નગર પાલિકાના પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા,ચીફ ઓફિસર એચ.કે.નંદાણીયા,મામલતદાર ધાનાણી,તાલુકા વિકાસ અધિકારી,રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર રાઠોડ,તાલુકા આરોગ્‍ય અધિકારી ભેંસાણીયા, ડાંડ,નગર પાલિકાનાં સદસ્‍યશ્રીઓ, માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, લાયન્‍સ કલબના પ્રમુખ ચંદ્રકાન્‍ત ખુહા, સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ,રીનાબેન રાદડીયા,જસુભાઇ બસીયા,મીતીન પંડ્‍યા, રૂદ્રાતલા, સીડીપીઓ કિર્તિબેન ઠાકર,ન.પા.નાં હેડ કલાર્ક અરૂણકુમાર ભટ્ટ સહિત પદાધિકારિઓ-અધિકારીઓ-નગર સેવકો-સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનાં વડાઓ-વિવિધ ક્ષેત્રના આગેવાનો-સમાજ શ્રેષ્ઠીઓ-નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ૧૦૦ લાભાર્થીઓએ મકાનોનાં કામ પૂર્ણ કરતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા.પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના અંતર્ગત ૩૪૭ લાભાર્થીઓને પ્રમાણપત્રો સુપ્રત કરવામાં આવ્‍યા હતા.વિમલ ગેસ એજન્‍સી-ઘનશ્‍યામભાઇ ડોબરીયા દ્વારા ગેસ સીલીન્‍ડરની કીટોનુ પણ વિતરણ કરવામાં આવ્‍યું હતુ.

મામલતદાર ધાનાણી દ્વારા લાભાર્થીઓને વૃદ્ધાવસ્‍થા પેન્‍શન યોજનાનાં મંજૂરીના હુકમો એનાયત કરાયા હતા.બેન્‍ક ઓફ બરોડા-હાઇસ્‍કૂલ દ્વારા લાભાર્થીઓને કીટ અર્પણ કરવામાં આવી હતી.આ તકે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.ન.પા.હાઇસ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી અને આઝાદી કા અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

વિસાવદર નગર પાલિકાના પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા,ઉપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ ડોબરીયા,ચીફ ઓફિસર એચ.કે.નંદાણીયાનાં જણાવ્‍યા અનુસાર ગુજરાત સરકારની સુચના મુજબ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' ઉજવણી અંતર્ગત વંદે ગુજરાત કાર્યક્રમનુ નગર પંચાયત હાઇસ્‍કૂલ,વિસાવદર ખાતે યોજાયો હતો.જેમા સરકારશ્રીના જુદા-જુદા વિભાગો દ્વારા થયેલ કામગીરી અંગે વિવિધ વિભાગો દ્વારા માહિતી આપવામાં આવીહતી.આ કાર્યક્રમમાં વિસાવદર શહેરના નગરજનો દ્વારા પોતાના ઘરો તથા દુકાનો ઉપર રાષ્ટ્રધ્‍વજ ફરકાવી દેશ માટે ગર્વ અને લાગણી જાગે તે હેતુથી અમલ કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતાં.

આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત વિસાવદર નગર પાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ રથ..હર ઘર તિરંગા કાર્યક્રમ..વંદે ગુજરાત કાર્યક્રમ સફળ બનાવવા પાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા,ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા,ચીફ ઓફિસર એચ.કે.નંદાણીયા, હેડ કલાર્ક અરૂણકુમાર બી.ભટ્ટ, એકાઉન્‍ટન્‍ટ બી.કે.જોષી, ઈજનેર વિશાલ પાંભર, બાંધકામ સુપરવાઇઝર રણજીતભાઇ દાહીમા, સેની.ઈન્‍સ.રમેશભાઈ ડાંગર,કલાર્ક જયદેવ ભટ્ટ, કોમ્‍પ્‍યુ.ઓપ.રાજેશ કવા,તાહેર વાઘ,સત્‍યજીત દાહીમા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. વિસાવદર નગર પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો શ્રી કિર્તીબેન પરશોતમભાઇ સોજીત્રા, રહીમભાઇ ગફારભાઇ મોદી, વિપુલભાઇ ગીરધરભાઇ રતનપરા, વિજયાબેન ગીરીશભાઇ અભાણી,જસુમતીબેન ભરતભાઇ વ્‍યાસ, રજનીકભાઇ આણંદભાઇ ડોબરીયા, ગીતાબેન મનીષભાઇ રિબડીયા, જીજ્ઞાસાબેન જયેન્‍દ્રભાઇ દાહીમા, ઉષાબેન જયદીપભાઇ દાહીમા, નિલેષભાઇ રમણીકભાઇ દવે, રેખાબેન જસુભાઇ બસીયા, ડીમ્‍પલબેન રાજેશભાઇ રિબડીયા, કિરણબેન લલિતભાઇ રિબડીયા, વર્ષાબેન મનહરભાઇ દાફડા, ઇલ્‍યાસભાઇ ઇસ્‍માઇલભાઇ મોદી, વિમલાબેન રમણીકભાઇ દુધાત, કમલેશભાઇ છગનભાઇ રિબડીયા, શોભનાબેન અશોકભાઇ રૂદ્રાતલા, મંજુલાબેન પ્રવીણભાઇ પંડ્‍યા, રમેશભાઇ વ્રજલાલભાઇ માંગરોળીયા, મનીષભાઇ સમજુભાઇ રિબડીયા, કંચનબેન જયંતિભાઇ ભુવા વિગેરેનો આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્‍છા-સહયોગ સાંપડ્‍યો હતો.

(1:49 pm IST)