Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પોરબંદરમાં કોરોના સંક્રમણનું જોર ઘટયું: ર૪ કલાકમાં એક પણ નવા કેસ નથીઃ પ દર્દીઓ સાજા થયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૬:  કોરોના સંક્રમણનું જોર ઘટયું છે. ર૪ કલાકમાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નથી. જયારે સારવારમાં રહેલ કોરોનાના પ દર્દીઓ સાજા થઇ ગયેલ છે.  ગઇકાલે ૧ર૩ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ૧૨૩ વ્યકિતઓના નેગેટીવ રીપોર્ટ આવ્યા છે. નવા એક પણ પોઝીટીવ કેસ કોરોનાના આવેલ નથી. જિલ્લામાં હાલ  કુલ ૪ કેસો એકટીવ છે. જેમાંથી ૩૭ દર્દીઓ હોમ આઇસોલેશનમાં તથા ૯ દર્દીઓ સરકારી કોવીડ હોસ્પીટલમાં છે. કોરોનાનો જીલ્લા કુલ કેસોનો આંકડો ૪૧૪૮ છે.

(1:58 pm IST)