Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કામ ન થતાં ગાંધીધામ ભાજપના ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા: નારાજ લોકોએ કરી તાળાબંધી

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં લોક આક્રોશ, અનેક સોસાયટીઓ તેમ જ મુખ્ય માર્ગો સહિત અનેક વિસ્તારો ચોમાસામાં થયા બિસ્માર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬

 ગાંધીધામના ધારાસભ્ય માલતી બેન મહેશ્વરી લોકોના રોષનો ભોગ બન્યા હતા. પડતર પ્રશ્નો ઉપરાંત ચોમાસા દરમ્યાન પણ અનેકવિધ મુશ્કેલીઓ અનુભવતા રહેવાસીઓએ સુંદરપુરી વિસ્તારમાં ધારાસભ્યને ગેટને તાળાબંધી કરી પુરી દીધા હતા. એક કાર્યકમ દરમિયાન સ્થાનિક લોકોએ સમાજવાડીનો ગેટ બંધ કરી ધારાસભ્ય સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, હાલમાં ચોમાસા દરમ્યાન ગાંધીધામના મુખ્ય માર્ગો સહિત અનેક રહેણાક વિસ્તારો તેમ જ સોસાયટીઓમાં રહેતા લોકો માટે રસ્તાઓના ખાડા, ભરાયેલા પાણી સહિતના અનેક પ્રશ્નો સંદર્ભે મુશ્કેલી સર્જાઈ છે. જોકે, થોડીવાર બાદ ધારાસભ્ય અને લોકો વચ્ચે કામ બાબતે નિરાકરણ અંગે ખાતરી મળતાં તેમને તાળાબંધી માંથી મુખ્ય કરી દેવાયા હતા.

(3:01 pm IST)