Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ભાવનગરમાં કોંગ્રેસે દ્વારા લઠ્ઠાકાંડ બનાવ સંદર્ભે ગૃહમંત્રીના પૂતળા દહન કરાયું

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરએ મુલાકાત લઇ લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોની અને તેના સગા સંબંધીને મળી સાંત્વના આપી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : લઠ્ઠાકાંડના બનાવના પગલે રાજકીય આગેવાનોએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરએ મુલાકાત લઇ લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોની અને તેના સગા સંબંધીને મળી સાંત્વના આપી હતી.
દરમિયાન આજે સાંજે ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા શહેરના ભાજપ કાર્યાલય નજીક તાલુકા પંચાયત કચેરી પાસે લઠ્ઠાકાંડ બનાવ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

(8:15 pm IST)