Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથ થી આણંદ સુધી વિશાળકાય શિવજીની પ્રતિમા સાથે આણંદના સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા પગપાળા ચાલીને આણંદ જવાના

આણંદ પહોંચ્યા બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે તેમજ દશ દિવસ શિવ કથાનૂ આયોજન

પ્રભાસ પાટણ:સોમનાથથી આણંદ સુધી વિશાલ શિવજીની પ્રતિમા સાથે શ્રી સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા ચાલીસ લોકોની ટીમ સાથે સોમનાથ પધારેલા અને શિવની પ્રતિમાની પૂજા અર્ચના બાદ રાત્રીના ત્રણ કલાકે સોમનાથ થી આણંદ જવા નાકળેલ જેમા મહાદેવની બાર ફુટ ઉંચી સોળ ફૂટ પહોળી અને દશ ફુટ જાડી તેમજ આ પ્રતિમાની સાથે બે મોટા નંદી સાથેની આ પ્રતિમા સાથે આણંદના શ્રી સાંઇબાબા જનસેવા ટ્રસ્ટના ચાલીલ લોકો દ્વારા પગપાળા ચાલીને આણંદ જવા નાકળેલ છે જે રોજનુ ત્રિસ કીલોમીટર ચાલવાના છે અને આઠ ઓગસ્ટના આણંદ પહોંચવા ના છે અને આણંદ પહોંચ્યા બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે તેમજ દશ દિવસ શિવ કથાનૂ આયોજન કરવામાં આવેલ છે તેમ ટ્રસ્ટના પ્રમુખ જનકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે

 

(12:58 am IST)