Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જામકંડોરણામાં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો

નવચંડી યજ્ઞ, અન્નકૂટ દર્શન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરનો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો. હતો આ પ્રસંગે નવચંડી યજ્ઞ,માતાજીના અન્નકુટ દર્શન તેમજ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ તકે પ્રસાદીના દાતા નાના જડેશ્વર મંદિર વાંકાનેરના મહંતશ્રી પ્રદિપભાઈ જાનીનું, અન્નપૂર્ણા માતાજી મંદિરના  મહંતશ્રી રાજેશગીરી, જયેશગીરી, નિલેશગીરીએ સન્માન કર્યુ હતું આ તકે ગોવિંદભાઇ રાણપરીયા,ચંદુભા, ચૌહાણ, ગૌતમભાઈ વ્યાસ સહિતના આગેવાનો તેમજ જામકંડોરણા શહેર અને બહારગામથી બહોળી સંખ્યામાં ભાવિકોએ આ માતાજીના પાટોત્સવમાં હાજરી આપી હતી અને નવચંડી. યજ્ઞ, અન્નકુટ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો.

(10:54 am IST)