Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

હાલના મેચમાં ઘાતક બોલર અર્શદીપને ચાન્‍સ મળશે

નવી દિલ્‍હીઃ આ સિરીઝની છેલ્લી મેચ આવતીકાલે ૨૭ જુલાઇએ રમાવા જઇ રહી છે જેમાં ટીમ ઇન્‍ડિયા યજમાન ટીમને કલીન સ્‍વીપ કરવાના હેતુથી મેદાનમાં ઉતરવાની છે આ મેચ માટે કેપ્‍ટન શિખર ધવન ટીમમાં ફેરફાર કરી ઘાતક બોલરને ટિકિટ આપી શકે છે.
ટીમ ઇન્‍ડિયાએ વેસ્‍ટ ઇન્‍ડિઝ સામે બે વન-ડે હાર્યા બાદ શ્રેણીમાં અજેય સરસાઇ મેળવી લીધી છે. કેપ્‍ટન શિખર ધવને વેસ્‍ટ ઇન્‍ડિઝ સામે રમાયેલી બે વન-ડે મેચમાં એક ઘાતક બોલરને પ્‍લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્‍યો હતો પરંૅતુ તે બોલર છેલ્‍લી મેચમાં ટીમમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે. અર્શદિપસિંહને વેસ્‍ટ ઇઁિન્‍ડઝ સામેની વન-ડે સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્‍યો છે પરંતુ તેને અત્‍યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી.
આઇપીએલમાં પોતાની ચોક્કસ લાઇન અને લંબાઇથી બધાને પ્રભાવિત કરનાર અર્શદીપ ટીમ ઇન્‍ડિયા માટે વન-ડેમાં ડેબ્‍યુ કરી શકે છે. અર્શદીપને હાલમાં જ ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્‍યો હતો જયાં તેણે શાનદાર બોલિંગ કરી હતી.

 

(3:39 pm IST)